કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત:જય વસાવડા

કોરોના વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે…. છાતી ના જીગર ઉપર નહીં ટેસ્ટ , ટ્રેસ, ટ્રીટમાં પ્રશાસન ને સહકાર આપીએ મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત: જય વસાવડા સંકલન…નિખિલેશ ઉપાધ્યાય/ નિરાલા … Read More

નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત એસ.આર.પી.ના ૬ જવાનો થયાં કોરોનામુક્ત

રાજકોટ ખાતે ફરજપરસ્ત વડોદરાના ૬ પોલીસ કોન્સ્ટેબલ કહે છે, “ઘરથી દૂર એક ઘર એટલે સમરસ કોવિડ કેર સેન્ટર” “પ્રાણાયામ – યોગ મારા માટે બન્યા પોઝીટીવિટીના ડેઇલી ડોઝ” : સતિષસિંહ સોલંકી … Read More

ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More

કોરોનાને મ્હાત આપવામાં….પ્રોન થેરાપી કારગર

પ્રોન થેરાપીઃ કોરોના સંક્રમિતોની હાલતમાં થતો ઉત્તરોતર સુધારો… રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ પ્રોનિંગ થેરાપીના પ્રાપ્ત થઈ રહેલા સારા પરિણામ : પ્રોન થેરાપીથી દર્દીઓના ઓક્સીજનની સ્તરમાં થતો વધારો રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: કોરોના વાયરસ … Read More

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગરમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ જીરીયાટ્રિક વોર્ડ કાર્યરત કરનાર હોસ્પિટલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું … Read More

જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે

કળયુગની શ્રવણ બની દીકરીઓ… જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ…. સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા…. જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી : મીનાબહેન … Read More

ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર  ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. … Read More

આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે

“કોરોનાના દર્દીઓ માટે આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે “:ડૉ. ભાનુભાઈ મેતા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More