Brain donate

Surat Manish shah Organ donation: બ્રેઈનડેડ મનીષ શાહના પરિવારે તેમના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

Surat Manish shah Organ donation: વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ શાહના પરિવારે તેમના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

  • સુરતથી ડોનેટ લાઈફ દ્વારા પૂર્વ ભારતમાં આંતરરાજ્ય ફેફસાં દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના
  • કલકત્તામાં ફેફસાંનું સૌ પ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ કરાયું: સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસા દાન કરાવવાની દસમી ઘટના
  • ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની પાંચમી ઘટના
  • સુરતથી કલકત્તાનું ૧૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં કરાયું
  • કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું.

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૧ સપ્ટેમ્બર:
Surat Manish shah Organ donation: સુરત શહેરે અંગદાનક્ષેત્રે સમગ્ર દેશમાં ડંકો વગાડયો છે. વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા મનીષભાઈને તા.૧૬મી સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક ખાનગીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Surat Manish shah Organ donation

જયાં તેઓની એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યું. ત્યારબાદ તેમને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઇ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. તા.૧૯મીના રોજ ન્યૂરોસર્જનની ડોકટરોની ટીમે મનીષભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફને જાણ કરતા ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ. જેથી પરિવારજનોમાં પત્ની મોનાબેન, પુત્રો અનુજ અને અભી, ભાઈ નિલેશભાઈ, પિતરાઈ ભાઈ જતીનભાઈએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

Surat Manish shah Organ donation

સ્વ.મનીષભાઈના પત્ની મોનાબેને જણાવ્યું કે, મારા પતિને જુન ૨૦૨૦માં કોરોના થયો હતો તે વખતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેઓ સ્વસ્થ થઇ ઘરે પાછા આવ્યા હતા. નવેમ્બર-૨૦૨૦માં તેમને મ્યુકરમાઈકોસીસ થતા તેમના ૧૬ દાંત અને જડબું કાઢી નાખવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે દેશમાં કેટલાયે લોકોના ફેફસાં ખરાબ થઇ ગયા છે અને દેશમાં ઘણા બધા લોકોને કિડની અને લિવરની જરૂરિયાત છે. અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા. આથી આજે જયારે મારા પતિ બ્રેઈનડેડ થયા ત્યારે તેમના કિડની, લિવર અને ફેફસના અંગોના દાન થકી અન્યોને નવજીવન મળતું હોય અમે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. જયારે NOTTO દ્વારા ફેફસા કલકત્તાની મેડીકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. કલકત્તાની મેડિકા સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના ડૉ.અર્પણ ચક્રવર્તી, ડૉ.સૌમ્યજીત ઘોષ અને તેમની ટીમે સુરત આવી ફેફસાંનું દાન સ્વીકાર્યું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

Surat Manish shah Organ donation

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી કલકત્તાનું ૧૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મીનીટના સમયમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાની મેડિકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં કલકત્તાના ૪૬ વર્ષીય વ્યકિતમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઇ ગયા હતા અને તે એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતા. આમ કોરોનામાંથી સાજા થયેલા મનીષભાઈએ કોરોનાની મહામારીમાં સપડાયેલા કલકત્તાના રહેવાસીને નવું જીવન આપ્યું

આ પણ વાંચો…Ambaji temple donations: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ થતા, મંદિરના દાન-ભેટની આવકમાં ઘટાડો નોંધાયો..!

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડની વડોદરાના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં તેમજ બીજી કિડની અમદાવાદના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં જયારે લિવર વડોદરાના રહેવાસી ૨૧ વર્ષીય યુવકમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી, ડો.વૈભવ સુતરીયા, ડો. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે જેના થકી ૨૫ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. ફેફસાં અને લિવર સમયસર કલકત્તા અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

Surat Manish shah Organ donation

Surat Manish shah Organ donation: ગુજરાતમાંથી ફેફસાના દાનની આ અગિયારમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાં દાન કરાવવાની આ દસમી ઘટના છે, જેમાંથી ૪ ફેફસાં મુંબઈ, ૨ ફેફસાં બેંગ્લોર, ૮ ફેફસાં ચેન્નાઈ, ૪ ફેફસાં હૈદરાબાદ અને ૨ ફેફસાં કલકત્તામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

સુરતની ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન ક્ષેત્રેમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. ડોનેટ લાઈફના પ્રેસીડેન્ટ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૪ કિડની, ૧૭૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૦૬ ચક્ષુઓ કુલ ૯૪૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૬૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

Whatsapp Join Banner Guj