CM Rupani 1709 1 edited scaled

મુખ્યમંત્રીશ્રી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની કરી જાહેરાત

CM Rupani 1709 1 edited

ગાંધીનગર, ૦૨ ઓક્ટોબર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે

ખાદી નો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારો ના જીવન માં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીશ્રી એ આ જાહેરાત કરી છે