Dharmendrasinh jadeja

Corona meeting: અમરેલીમાં પ્રભારી મંત્રી જાડેજા ની ઉપસ્થિતિમાં કોરોના અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Corona meeting: પ્રભારી મંત્રી જાડેજાએ કોવિડ કેર હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરી નું કર્યું નિરીક્ષણ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ એપ્રિલ:
Corona meeting: અમરેલીમાં હાલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે. વી. કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર જોડાયા હતા

Whatsapp Join Banner Guj

ત્યારબાદ પ્રભારીમંત્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલી સિવિલ હોસ્પિટલ અને રાધિકા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ પણ વાંચો…Social distance: જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરતી ચા પાન ની દુકાનો સીલ કરતું તંત્ર.