Corona meeting: અમરેલીમાં પ્રભારી મંત્રી જાડેજા ની ઉપસ્થિતિમાં કોરોના અંગે સમીક્ષા બેઠક યોજાઇ
Corona meeting: પ્રભારી મંત્રી જાડેજાએ કોવિડ કેર હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરી નું કર્યું નિરીક્ષણ
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ એપ્રિલ: Corona meeting: અમરેલીમાં હાલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે. વી. કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર જોડાયા હતા
ત્યારબાદ પ્રભારીમંત્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલી સિવિલ હોસ્પિટલ અને રાધિકા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો…Social distance: જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરતી ચા પાન ની દુકાનો સીલ કરતું તંત્ર.