સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ નરહરી અમીને(Narhari amin) પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લગાવ્યો..!
ગાંધીનગર, 06 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને (Narhari amin) તેમના નારણપુરા સ્થિત નિવાસ્થાને ભાજપા નો ધ્વજ લગાવ્યો હતો. આ પ્રસંગે આર.સી.પટેલ (પૂર્વ કોર્પોરેટર), હિતેશ પટેલ (સભ્ય, પ્રદેશ મીડિયા ટીમ, ભાજપ), પંકજ દેસાઈ, હરિકૃષ્ણ અમીન, વિશાલ અમીન, કીર્તિ પટેલ તેમજ નારણપુરા વોર્ડ ના કાર્યકરો હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો 41મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. હાલ ભાજપની સત્તા છે. ભાજપ અથવા ભાજપા એટલે કે ભારતીય જનતા પક્ષ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે.
આ પણ વાંચો….