yogi adityanath

UP CM Yogi said: યુપીના CM યોગીએ કહ્યું, ઉત્તર પ્રદેશમાં અસામાજીક તત્ત્વોને શાકભાજી વેચતા કરી દીધા

UP CM Yogi said: ગુજરાતના ધાનેરાની સભામાં યુપીના CM યોગીએ કહ્યું, ઉત્તર પ્રદેશમાં અસામાજીક તત્ત્વોને શાકભાજી વેચતા કરી દીધા

અમદાવાદ, 02 ડિસેમ્બર: UP CM Yogi said; ‘આપ બધાને મારા જયશ્રી રામ… હું ગુજરાતની આ ધરાને નમન કરું છું. અહીંના પશુપાલકોએ મહેનત કરીને એશિયાની સૌથી મોટી બનાસડેરી આપી છે. બનાસ ડેરીએ લાખો લોકોને જીવનમાં પરિવર્તન ફક્ત નથી લાવ્યું. ગૌમાતાઓની પણ રક્ષા કરી છે. જ્યારે દેશની આઝાદીની લડાઈ થઇ તેમાં પણ ગુજરાતના મહાત્મા ગાંધી હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ આ ગુજરાતે દેશને આપ્યા છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે વર્તમાન ભારતની સ્થાપના કરી જેમને શિલ્પ કહેવામાં આવે છે. તેમજ જ્યારે દેશના લોકોમાં નારાજગી હતી આદોલન થઈ રહ્યા હતા ત્યારે 2014માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ દેશ માટે ગુજરાતે આપ્યા છે.

ગુજરાતના ધાનેરામાં યુ.પી.ના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની ગુરુવારે જનસભા યોજાઇ હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ કહેતી હતી કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે તો ખૂનની નદીઓ વહેશે પણ અમે કઈ થવા ન દીધું, ઉત્તરપ્રદેશમાં પણ હવે દંગા નથી થતા હવે અસામાજિક તત્વો શાકભાજીનો થેલો લગાવી રહ્યા છે. ગુંડાતત્ત્વોને સીધાદો કરવા એજ ભાજપની તાકાત છે.

‘આપ બધાને મારા જયશ્રી રામ… હું ગુજરાતની આ ધરાને નમન કરું છું. અહીંના પશુપાલકોએ મહેનત કરીને એશિયાની સૌથી મોટી બનાસડેરી આપી છે. બનાસ ડેરીએ લાખો લોકોને જીવનમાં પરિવર્તન ફક્ત નથી લાવ્યું. ગૌમાતાઓની પણ રક્ષા કરી છે. જ્યારે દેશની આઝાદીની લડાઈ થઇ તેમાં પણ ગુજરાતના મહાત્મા ગાંધી હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ આ ગુજરાતે દેશને આપ્યા છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે વર્તમાન ભારતની સ્થાપના કરી જેમને શિલ્પ કહેવામાં આવે છે. તેમજ જ્યારે દેશના લોકોમાં નારાજગી હતી આદોલન થઈ રહ્યા હતા ત્યારે 2014માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ દેશ માટે ગુજરાતે આપ્યા છે. અને આજે દુનિયાના 20 મોટા દેશો જેમનો દુનિયા પર અધિકાર છે એ G20 દેશનું પ્રતિનિધિત્વ પ્રધાનમંત્રી મોદીએ લીધું છે.

આ પણ વાંચો:Goldy brar arrested: સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં હાથ લાગી મોટી સફળતા, મુખ્ય આરોપીની થઇ ધરપકડ…

જે બ્રિટનને 200 વર્ષ સુધી સાશન કર્યું તેને પછાડી અને આજે ભારત 5માં નંબર ઉપર આર્થિક રીતે આવ્યો છે. કોંગ્રેસ ઇચ્છતી ન હતી કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને, કાશીવિશ્વનાથમાં ભગવાનનું મંદિર બને, કેદારનાથમાં કેદારપુરીનું ધામ બને, માં અંબાના ધામમાં માનું ધામ વિકસિત થાય માટે કૉંગ્રેસને વોટ આપીને આપનો લોકતાંત્રિક અધિકાર કેમ ખરાબ કરીએ. ગુજરાતમાં ભાજપની સરકાર 7મી વખત મજબૂતી સાથે બનાવ જઇ રહી છે. તમે બધા ભગવાનભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડો અને ગુજરાતની સરકારમાં તમારું ધાનેરાનું મોરપીંછ ઉમેરાય તે માટે તમામ લોકોએ ભગવાનભાઇને જીતાડવા માટે આહવાન કર્યું હતું.

Gujarati banner 01