Railway Crossing No 3 Closed: ચાંદલોડિયા-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે
Railway Crossing No 3 Closed: 25મી જાન્યુઆરીના રોજ ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે
અમદાવાદ, 23 જાન્યુઆરીઃ Railway Crossing No 3 Closed: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશન વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નંબર 3 કિ.મી. 508/08-09 (વંદેમાતરમ-ગોતા) 25 જાન્યુઆરીના રોજ સવારે 08.00 થી 18.00 વાગ્યા સુધી સમારકામ માટે બંધ રહેશે.
રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન ગોતા બ્રિજ જગતપુર દ્વારા મુસાફરી કરી શકે છે.