Special train cancel: પશ્ચિમ રેલવે ની 06 સ્પેશિયલ ટ્રેનો રદ. જાણો વિગત…..
Special train cancel: અમદાવાદ થી નાગપુર, મુઝફ્ફરપુર અને કેવડિયા જવા વાળી 3 જોડી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
અમદાવાદ , ૧૯ મે: Special train cancel: પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સંખ્યા ઘટવાના કારણે અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ- મુઝફ્ફરપુર સ્પેશિયલ અને અમદાવાદ-કેવાડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સ્પેશિયલ 20 મે, 2021થી 1 જુલાઈ, 2021 સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 01137 નાગપુર – અમદાવાદ સ્પેશિયલ 19 મે, 2021થી 30 જૂન, 2021 સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર સ્પેશિયલ 29 મે, 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશિયલ 27 મે, 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.
5. ટ્રેન નંબર 09247 અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ 20 મે, 2021 ના રોજ રદ રહેશે.
6. ટ્રેન નંબર 09250 કેવાડિયા – અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ 20 મે, 2021 ના રોજ રદ રહેશે.
મુસાફરો સ્પેશિયલ ટ્રેનો વિશે વિગતવાર માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.