Special train cancel: પશ્ચિમ રેલવે ની 06 સ્પેશિયલ ટ્રેનો રદ. જાણો વિગત…..

Special train cancel: અમદાવાદ થી નાગપુર, મુઝફ્ફરપુર અને કેવડિયા જવા વાળી 3 જોડી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

અમદાવાદ , ૧૯ મે: Special train cancel: પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સંખ્યા ઘટવાના કારણે અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ- મુઝફ્ફરપુર સ્પેશિયલ અને અમદાવાદ-કેવાડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે:-

1.     ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સ્પેશિયલ 20 મે, 2021થી 1 જુલાઈ, 2021 સુધી રદ રહેશે.

2.     ટ્રેન નંબર 01137 નાગપુર – અમદાવાદ સ્પેશિયલ 19 મે, 2021થી 30 જૂન, 2021 સુધી રદ રહેશે.

Whatsapp Join Banner Guj

3.     ટ્રેન નંબર 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર સ્પેશિયલ 29 મે, 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.

4.     ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશિયલ 27 મે, 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.

5.     ટ્રેન નંબર 09247 અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ 20 મે, 2021 ના રોજ રદ રહેશે.

6.     ટ્રેન નંબર 09250 કેવાડિયા – અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ 20 મે, 2021 ના રોજ રદ રહેશે.

મુસાફરો સ્પેશિયલ ટ્રેનો વિશે વિગતવાર માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…Information about vaccine: પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોના થયો હોય, સ્તનપાન કરાવતી મહિલાએ રસી લેવી કે નહીં? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે