Train Schedule Changed: રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર
રાજકોટ, 24 ઓગસ્ટ: Train Schedule Changed: ટ્રેનોના સમયસર સંચાલન માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
- 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદરથી ચાલવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકના બદલે 03.30/03.32 કલાક. થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાકે રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- 30.08.2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી દોડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે વિરમગામ જંકશન પર 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક અને ચાંદલોડીયા બી કેબીન ખાતે 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાકનો રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40ને બદલે 5.50 વાગ્યે પહોંચશે.
- 04.09.2024 થી, ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર મહામના એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકનો રહેશે. ઉપરોક્ત સ્ટેશનો સિવાય, અન્ય કોઈ સ્ટેશનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો:- Important decision of Chief Minister: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને લઈને લીધો મહત્વનો નિર્ણય
આ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.