JMC BJP Samman samaroh 2

જામનગર વોર્ડ ૫ માં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો નો સન્માન સમારોહ યોજાયો.

જામનગર શહેર ભાજપ ના નવનિયુક્ત હોદેદારો નો  સન્માન સમારોહ તાજેતરમાં સરલાબેન ત્રિવેદી ભવન (પ્રધાન મંત્રી આવાસ યોજના ) દ્વારા યોજવા માં આવ્યો હતો.

whatsapp banner 1

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૦ ડિસેમ્બર: જામનગરમાં સરૂ સેક્સન રોડ, પોલીસ હેડ ક્વાર્ટર્સ નજીક આવેલ સરલાબેન ત્રિવેદી ભવન ના રહેવાસીઓ દ્વારા જામનગર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમ માં  શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, તેમજ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા ,ગોપાલ ભાઈ સોરઠીયા અને વિજયસિંહ જેઠવા ઉપરાંત મેયર હસમુખભાઈ જેઠવા અને સ્થાનિક કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ ઉપસ્થિત રહયા હતા.

 સરલાબેન ત્રિવેદી ભવન ના  પ્રમુખ અનિરુદ્ધ સિંહ  પરમારે તમામ હોદેદારો ને આવકાર્યા હતા ને શુભેચ્છાઓ પાઠવી હતી.આ  પછી તેમના હસ્તે શહેર ભાજપ ના પ્રમુખ વિમલ કાગથરા નું સન્માન  કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા વ્યસભાઈ ના હસ્તે ,ગોપાલ ભાઈ સોરઠીયા નું  દિલીપસિંહ જાડેજા ના હસ્તે અને વિજયસિંહ જેઠવા નું ફિરોઝભાઈ મેંડા ના હસ્તે સન્માન કરમાં આવ્યું હતું.

  આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો  વિમલ કગથરા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપ સરકાર હર હંમેશ વિકાસ કામો માટે  તૈયાર હોય છે .આ ભવન ના પણ રહેવાસીઓ ને જ્યારે પણ કોઈ કામ ની જરૂર હોય તોઓ જરૂર અમારો સંપર્ક કરી શકે છે.

આ સમયે મહામંત્રી ગોપાલ ભાઈ સોરઠીયા ,મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભવન ના પ્રમુખ અનિરૂધસિંહ પરમારે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *