15મી ઓગસ્ટના દિવશે અંબાજીમા સફાઈ અભિયાન નુ આયોજન કરવામાં આવ્યું
૧૫ ઓગસ્ટ,યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રા ધામ અંબાજી મા ચાલતી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રા ધામ અંબાજી ગામ મા અને મંદિર મા વગેરે જગ્યાએ સફાઈ કામ કરવામાં આવે છે પણ હાલ મા થોડાક જ સમય પહેલા આ ઓલ સર્વિસ ગ્લોબલ મા અલ્પેશ ભાઈ ગોહીલ (મેનેજર ) અને વિક્રમ ભાઈ સરગરા( સુપરવાઇઝર) ની નીમણૂંક થતા બાદ ઓલ સર્વિસ ગ્લોબલ ની વધૂ સારી કામગીરી પણ જોવા મળી છે જેમા ઓલ સર્વિસ ગ્લોબલ ના કાયદા મા આવતી તો દરેક જગ્યાએ તો સફાઈ થાય જ છે પણ ઘણી બધી જગ્યા એવી છે કે ઓલ સર્વિસ ગ્લોબલ ના કાયદા મા આવતી નથી તેવી જગ્યાએ પણ આ ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવે છે
અને આજ રોજ 15 મી ઓગસ્ટ ના સ્વતંત્ર દિવશે પણ ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા અંબાજી ના પોલીસ સ્ટેશન ના કંપાઉન્ડમાં પણ સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને આખા કંપાઉન્ડ ને સ્વરછ બનાવી દીધુ હતુ અને આની સાથે જ ઓલ સર્વિસ ગ્લોબલ ના મેનેજર શ્રી અલ્પેશ ભાઈ ગોહીલ અને વિક્રમ ભાઈ સરગરા એ જણાવ્યું હતું કે કોરોના વાયરસ ની મહામારી મા પોલીસ કર્મીઓ એ દિવશ રાત એક કરીને અને પોતાના જીવ ની ચીંતા કર્યા વીના જે સુંદર કામગીરી કરી છે તે જ રીતે હમે ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા આખા અંબાજી ને થોડાક જ સમય મા સ્વરછ અંબાજી બનાવીશું
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી