ambaji death

Aapnu ambaji: યાત્રાધામ અંબાજીના ગરીબ પરિવારને ઘરના વડિલને મરણવિધિ માટે સોશિયલ મીડિયા દ્વારા મળ્યું હજારો રુપિયાનુ દાન

Aapnu ambaji: એક જ દિવસ માં આ ગરીબ પરીવાર ને મોબાઇલ ગૃપ માં જોડાયેલાં વિવિધ સભ્યો સહીત અન્ય લોકો એ દાન ની સરવાણી વહાવી હતી.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૪ ઓગસ્ટ:
Aapnu ambaji: યાત્રાધામ અંબાજી માં એક ગરીબ પરિવાર નાં મોભી ગણાતા રઘુભાઇ મેંઘવાલ નું દુખ દ અવસાન થયુ હતુ. જેનાં કુંટુબ માં ત્રણ દિકરીઓ અને એક પુત્ર છે. ને તેમના પિતા નાં મરણ બાદ થતી વિવિધ વિધિ માટે પરિવાર સક્ષમ ન હતો. ને આર્થીક અગવડતા ને લઇ પોતાના પિતા નું 12 મું કરવું પણ અઘરું પડે તવું હતુ.

આ પણ વાંચો…Jananayak Janata Party: ગુજરાત વિધાનસભા ની આવનારી ચુંટણી ને લઇ જનનાયક જનતા પાર્ટી ગુજરાત શક્તિપીઠ અંબાજી થી ચૂંટણી પ્રચાર શરુ કરશે

જેને લઇ અંબાજી પંથક નાં સોશિયલ મીડિયા ના ” આપણું અંબાજી ” (Aapnu ambaji) ગૃપ માં સદર પરીવાર ને મરણ વિધી માટે મદદ કરવાં મેસેલ વાઇરલ કરવામાં આવ્યુ હતુ. ને એક જ દિવસ માં આ ગરીબ પરીવાર ને મોબાઇલ ગૃપ માં જોડાયેલાં વિવિધ સભ્યો સહીત અન્ય લોકો એ દાન ની સરવાણી વહાવી હતી. ને રૂપીયા 25471 રોકડ રકમ એકઠી કરવામાં આવી હતી તેમજ ઓનલાઇન ગુગલ પે માં પણ 16873 રૂપીયા જમા થયાં હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

જેને લઇ આ રકમ ગૃપ નાં (Aapnu ambaji) એડમીન તેમજ સન્નિસ્ટ નાગરીકો દ્વારા મરણ ગયેલ પરીવાર જનો ને સફળ મરણવીધી માટે રૂપીયા 42344 નો માતબર ફાળો અર્પણ કરી સદર પરીવાર ને મરણવીધી રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા.