જામનગર કિસાન સંઘના પડતર પ્રશ્નો ને લઈ આવેદનપત્ર અપાયું..
રિપોર્ટ:જગત રાવલ
જામનગરના ભારતીય કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટરને ભારે વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થતાં સરકાર તાત્કાલિક રાહત સહાય કે પેકેજ જાહેર કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય કિસાન સંઘે આવેદન પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ૨૫ દિવસથી સતત વરસાદ પડવાથી આવળ અતિવૃષ્ટિ નું વર્ષ છે જેનાથી ખેડૂતો ના મગફળી કપાસ તલ અને મગફળી જેવા ઊભા પાકને નુકસાન થયેલું છે માટે સરકાર દ્વારા ખેડૂતો માટે તાત્કાલિક રાહત સહાય કે પેકેજ જાહેર કરવાની માંગ સાથેનું જિલ્લા કલેકટર રવિશંકરને આવેદનપત્ર આપ્યું હતું
આવેદનપત્ર ના અંતે જો એક માસમાં પ્રશ્નોનો નિકાલ નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચારવા માં આવી છે.