Bhikhbhai joshi letter to CM

Bhikhbhai joshi letter to CM: જૂનાગઢ: કાપડ બાદ હવે પગરખાં પર જીએસટી વધારાને લઈને વિરોધ

Bhikhbhai joshi letter to CM: જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી કરી રજૂઆત

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૦૪ જાન્યુઆરીઃ
Bhikhbhai joshi letter to CM: સરકાર દ્વારા પગરખાં પર ૫% જીએસટી દરમાં વધારો કરીને ૧૨% કરવામાં આવતાં જૂનાગઢ પગરખાં એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે

પગરખાં એસોસિએશન દ્વારા ધારાસભ્ય ભીખાભાઈ જોષીને પણ રજૂઆત કરવામાં આવતાં ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી પગરખાં પરનો જીએસટી ઘટાડી મુળ દર ૫% કરવા રજૂઆત કરી

Bhikhbhai joshi letter to CM

૮૫% મધ્યમ વર્ગના લોકો એક હજારથી ઓછી કિંમતના પગરખાં પહેરે છે ત્યારે જીએસટી દરમાં વધારો થાય તો મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો માર પડે તેમ હોય, લોકહિત માં જીએસટી વધારાને પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવી.

આ પણ વાંચો…Paper leak scandal:પેપર લીક કાંડ બહાર લાવનારા આપ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- એક ગામના 18 લોકોને નોકરી આપી

Whatsapp Join Banner Guj