covid vaccine: ગુજરાતી સિંગર ગ્રીષ્મા પંચાલે લીધી વેક્સિન સાથે ગુજરાતને આપ્યો સંદેશ
અમદાવાદ, 11 મેઃ covid vaccine: છેલ્લા એક વર્ષથી કોરોનાનો કહેર યથાવત છે. દેશ-વિદેશના ડોક્ટરો વૈજ્ઞાનિકો કોરોનાની દવા શોધી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી દવા ન મળે ત્યાં સુધી આપણી પાસે વેક્સિન(covid vaccine) એક માત્ર ઉપાય છે. દેશભરમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં ઘણા લોકો વેક્સિન થી ડર અનુભવે છે. તેવા જ લોકોને વેક્સિન (covid vaccine) લઇને ગુજરાતની જાણીતી ગરબા કિવન અને સિંગર ગ્રીષ્મા પાંચાલએ કોરોના ની વેક્સીન(covid vaccine) નો પ્રથમ ડોઝ લીધો અને લોકો ને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.
સિંગરે જણાવ્યુ હતું કે આજે ભારત દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે આ મહામારી થી બચવાનો માત્ર એજ ઉપાય છે કોરોના વેક્સીન તમારી ઉંમર પ્રમાણે સમયસર કોરોના વેક્સિન(covid vaccine)ના બંને ડોઝ લઇ લેવા કોરોનાની આ બીજી લહેર ચાલુ છે અને આપણા વૈજ્ઞાનિકોના માટે ત્રીજી લહેર આવી શકે તેમ માટે ગુજરાત ના તમામ ભાઈ, બહેન અને વડીલો ને નમ્ર વિનંતી છે કે સમયસર વેક્સિનના બંને ડોઝ લઇ અને આ કોરોના રૂપિ રાક્ષશ નો નાશ કરીયે તેમજ સાથે સાથે એ પણ જણાવ્યુ હતું કે કામ સિવાય ઘરની બહાર ના નીકળવું બહાર જાવ ત્યારે માસ્ક નો ઉપયોગ કરવો ભીડભાડ વાળી જગ્યાએ ના જવું સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવું બાળકો અને વડીલો નું ધ્યાન રાખવું લોકો જાગૃત થશે કોરોના ભાગશે દેશ જીતશે.
આ પણ વાંચો….
સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન