ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન
વડોદરા, ૧૬ જાન્યુઆરી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ત્યારે કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી 20 ટુર્નામેન્ટ છોડી વડોદરા જવા રવાના થયા હતા. કૃણાલ પંડ્યા વડોદરાની ટીમના કેપ્ટન હતા. ત્યારે કૃણાલ પંડ્યાની જગ્યાએ કેદાર દેવધરને વડોદરા ટીમના કેપ્ટન બનાવાયા છે.
Advertisement