Surat Deputy commissinor plasma edited

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કર્યું

Surat Deputy commissinor plasma edited

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કરી સાચા કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી

લોડકાઉન દમિયાન શ્રમિકોને ભોજન, ડિસઈન્ફેકશનથી લઈને અનેક જવાબદારી નિભાવી હતી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૧૪ સપ્ટેમ્બર:કોરોનાની વૈશ્વિક મહામારીમાં વરાછા ઝોન-બીની જવાબદારી સાથે પ્રજાની સેવામાં સમર્પિત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયે કોરોનાને મ્હાત આપી, અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન આપવા પ્લાઝમાનું દાન કર્યું છે. તેમણે કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી છે. પ્લાઝમા ડોનેટ કર્યા બાદ ૨૮ દિવસ પછી રક્તદાન કરવાનો પણ સંકલ્પ કર્યો છે.

મનપાના ડે.કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયને તા.૧૦ જુલાઇએ તાવના લક્ષણો જણાતા તા.૧૨ જુલાઈના રોજ કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ઓક્સિજનની ઊણપ કે અન્ય કોઈ શારીરિક તકલીફ ન જણાતા ૧૭ દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. હોમ આઈસોલેશનમાં સ્મીમેરના ડોકટરોની સારવાર મેળવ્યાં બાદ તા.૨૭મી જુલાઈના રોજ કોરોનાને મ્હાત આપી ફરી એકવાર લોકોની સેવામાં કાર્યરત થયા હતા.

Surat Deputy commissinor plasma 2

શ્રી એન.વી.ઉપાધ્યાય જણાવ્યું કે, ‘તા.૨૭ જુલાઈએ કોરોનામુક્ત થતાં જ સૌપ્રથમ સંકલ્પ કર્યો હતો કે, ૨૮ દિવસ પછી હું પણ પ્લાઝમા ડોનેટ કરીશ. ૨૮ દિવસ પૂર્ણ થતા સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા આપવા માટે આવ્યો ત્યારે ખજાણ થઈ કે બ્લડની પણ અછત થઇ રહી છે, જેથી સંકલ્પ કર્યો છે કે હવે પછી ૨૮ દિવસ પુર્ણ કરી રક્તદાન કરીશ. જેથી જરૂરિયાતમંદને રક્ત મળી શકે.

loading…

તેમણે સુરતીવાસીઓને રક્તદાનએ મહાદાન છે તો હાલમાં રક્તની અછત છે. સુરતીઓને રકતદાન કરવા પણ અપીલ કરી છે. નોંધનીય છે કે, મનપાના ડેપ્યુટી કમિશનરએન.વી.ઉપાધ્યાયે લોકડાઉનના સમયથી જ વરાછા ઝોન-બીની જવાબદારી બખુબી નિભાવી હતી. જેમાં શ્રમિકોને ભોજન, રાશનકિટસ પહોંચાડવાની જવાબદારી પણ ઉપાડી હતી. ઉપરાંત વરાછા ઝોન-બીના હોટસ્પોટ વિસ્તારોમાં ડિસઈન્ફેકશનથી લઈને લોકોને કોરોના વાઈરસ સામે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કર્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતાબેન અને તેમની ટીમના સફળ માર્ગદર્શનથી વધુમાં વધુ કોરોનામુક્ત બનેલાં લોકો પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવી રહ્યા છે. એમની ટીમ દ્વારા સુરતીવાસીઓ રક્તદાન કરવા પણ આગળ આવે એવી અપીલ કરી છે.