Dr. Mansukh Mandvia: મનસુખ માંડવિયાએ માલધારી મતદારોનો કર્યો સંપર્ક
Dr. Mansukh Mandvia: માલધારી લોકોની સાથે જમીન પર બેસી તેઓની દેશી પદ્ધતિ મુજબ ભોજન લીધું
પોરબંદર, 01 મે: Dr. Mansukh Mandvia: કેન્દ્રીય મંત્રી અને ૧૧-પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાએ બરડા ડુંગર જંગલ નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી મતદારોનો કર્યો સંપર્ક
ડૉ. મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો શેર કરીને લખ્યું કે *”આપણી દુનિયાથી ખૂબ દૂર બરડા ડુંગર જંગલ સાતવીરડા નેસમાં વસતા પોરબંદર લોકસભાના મારા મતદારોને મળવા ગયેલ. કુદરતના ખોળે, અપાર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ આ નેસના લોકોએ આપેલ પ્રેમ અને આતિથ્ય માટે કાયમી ઋણી રહીશ.
આ પણ વાંચો:- ONGC Recruitment 2024: ઓએનજીસીમાં નોકરી મેળવવાની તક, આ જગ્યા પર થશે ભરતી- જાણી લો તમામ વિગત
આજની આ મુલાકાત હંમેશા યાદ રહેશે…
‘ખમ્મા મારા બરડા નેસને..!!”
ડૉ. મનસુખ માંડવિયાએ જંગલના માલધારી લોકોની જીવનશૈલી મુજબ જ ભોજન અને આતિથ્ય માળ્યું. માલધારી લોકોની સાથે જમીન પર બેસી તેઓની દેશી પદ્ધતિ મુજબ ભોજન લીધું
- જૂની દેશી પદ્ધતિનું વલોણું ચલાવીને છાશ પણ વલોવી
- માલધારી સમાજ સાથે ડૉ. મનસુખ માંડવિયા ખુબજ સાદગીપૂર્વક મળતા જંગલમાં વસતા માલધારીઓ થયા ખુશ
- ડૉ મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા X પર શેર કરેલ વીડિયોમાં જંગલનું અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય જોઇને લોકો થઇ રહ્યા છે આશ્ચર્યચકિત