Dussehra – Diwali 2022: યુવા પરિવાર સેવા સમિતિ અમદાવાદ દ્વારા દશેરા-દિવાળી 2022ના વિશેષ કાર્યક્રમનું આયોજન
Dussehra – Diwali 2022: ” રઘુકુળ રીત સદા ચલી આયી, પ્રાણ જાયે પણ વચન ના જાયે “
અમદાવાદ, 11 ઓક્ટોબરઃ Dussehra – Diwali 2022: ગુજરાતમાં અમદાવાદ ખાતે દશેરા – દિવાળી 2022ના ઉપલક્ષમાં યુવાઓ પ્રભુ શ્રી રામનાં આદર્શો પર ચાલવાનો પ્રયત્ન કરે એ માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું.
આજે રાવણ બાહ્ય જગતમાં નહી પરંતુ આ શરીરમાં રહીને પોતાનું કાર્ય કરે છે. જેમ કે, સોશ્યિલ મીડિયા એડીક્શન, વિવિધ પ્રકારના નશા, આતંકવાદ, રિશ્વત ખોરી અને નારીઓ સાથે દુર વ્યવહાર વગેરે….
યુવાઓ પોતાની અંદર ના રાવણ ને કેવી રીતે સમાપ્ત કરી શકે ? એ માટે નાટક, ભજન, પ્રવચન અને શાસ્ત્રોની ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેથી સત્યના પથ પર ચાલીને યુવાઓ જીવન ને સફળ બનાવી દેશ અને વિશ્વ ના નિર્માણ માં સહયોગ આપી શકે.
આ પણ વાંચોઃ 20 Years of Industrial Development of Gujarat: અજોડ છે ગુજરાતનો 20 વર્ષનો ઔદ્યોગિક વિકાસ