eyes surgery

ગોત્રી હોસ્પિટલની પહેલ: મ્યુકર ના દર્દીની આંખનો ડોળો અને સારા સ્નાયુઓ જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરવાની સફળ સર્જરી(eyes surgery) કરી

  • ડો.હિરેન સોની કહે છે કે વડોદરામાં અને કદાચિત ગુજરાતમાં પહેલીવાર મ્યુકરના દર્દીઓની રેટ્રો ઓર્બિટ કલિયરન્સ વિથ આઇ બોલ પ્રીઝરવેસન સર્જરી(eyes surgery) કરવામાં આવી
  • તેનાથી અંધાપો નિવારી શકાતો નથી પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે

અહેવાલ : સુરેશ મિશ્રા

વડોદરા, 24 જૂનઃeyes surgery: મ્યુકર એવો વેદના દાયક રોગ છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે કાળી કે અન્ય પ્રકારની ફૂગ થી અસર પામેલા જડબા, તાળવા, આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે.એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે.આ સંજોગોમાં જી. એમ. ઇ. આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન,નાક અને ગળાના વિભાગના સર્જન ડો.હિરેન સોનીએ વડોદરામાં અને કદાચિત ગુજરાતમાં આ રોગથી અસર પામેલા દર્દીની આંખની અને ચહેરાની કુરૂપતા નીવારતી પથદર્શક સર્જરી(eyes surgery) કરી છે.


એંડોસ્કોપિક સિસ્ટમ અને ખૂબ સમયસર આ હોસ્પિટલને જેની સખાવત મળી છે તેવા અદ્યતન માઈક્રો ડી બ્રાઇડર યંત્રની મદદ થી ઓરબિટલ કલિયરન્સ વિથ આઇ બોલ પ્રિઝર્વેસન નામક ન્યુઅર મોડાલિટી એટલે કે નવ પ્રચલિત સર્જરી(eyes surgery) કરી છે. સાદી ભાષામાં કહીએ તો ફૂગથી પ્રભાવિત થયેલા આંખના ગોખલાની આંખના ડોળા અને સારા સ્નાયુઓને અકબંધ રાખીને,મોટેભાગે ચહેરાની સુંદરતા સાચવતી આ શસ્ત્રક્રિયા છે.

આ પણ વાંચોઃ Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાની થઇ વિધિવત પૂજા, હવે મામાના ઘરે ગયા ભગવાન જગન્નાથ
ડો.હિરેન સોની આનંદ સાથે કહે છે કે,અમે બારેક દિવસ પહેલા જેમની આ સર્જરી કરી,તેમનો ચહેરો જોઈને અમે પણ ડાબી આંખે સર્જરી કરી કે જમણી આંખે એની વિમાસણ અનુભવીએ છે. ફુગની અસરથી આંખનું તેજ તો જતું રહે છે જેને પાછું આપી શકાતું નથી પણ ચહેરાની કુરૂપતા આ સર્જરી(eyes surgery)થી નિવારવીએ પણ મોટા સંતોષની વાત છે.

eyes surgery


આ સર્જરીમાં એન્ડોસ્કોપી અને માઇક્રો ડીબ્રાઇડરની મદદ થી આંખનો ડોળો સાચવીને તેની પાછળના ફૂગથી બગડેલા ભાગોની સફાઈ કરવામાં આવે છે અને સારા સ્નાયુઓ પણ સાચવી લેવામાં આવે છે.આંખના સર્જન નહિ પણ ઈ.એન.ટી.સર્જન જ નાક વાટે ઉપરોક્ત યંત્રોની મદદથી આંખની અંદરના બગડેલા હિસ્સાની સફાઈ કરે છે. તેમણે કહ્યું કે,ફૂગની અસર પ્રમાણે આંખની આંતરિક સફાઈ, તાળવાનો ભાગ, જડબાનો ભાગ, જે બગડી ગયો છે એને સર્જરી(eyes surgery)થી કાઢવામાં આવે છે.આ સર્જરી એટલી સફાઈ અને ચોકસાઈથી કરવામાં આવે છે કે બાહ્ય ચહેરા પર એક ચિરો,કાપો કે ટાંકો દેખાતો નથી.

આ પણ વાંચોઃ માનહાનિના કેસની કાર્યવાહીમાં કોગ્રેસ નેતા(Rahul Gandhi) રહ્યાં હાજર, રાહુલ ગાંધીએ હજી અગામી મુદત માટે આવવુ પડે ગુજરાત- વાંચો શું છે મામલો?
માઇક્રો દિબ્રાઈડરનું અદ્યતન યંત્ર તાજેતરમાં જ પોરની કંપની વાગો દ્વારા સખાવતમાં મળ્યું જે મ્યુકર પીડિતોની વિવિધ પ્રકારની સર્જરીમાં આશીર્વાદ રૂપ બન્યું છે. અત્યાર સુધીમાં બે મહિલાઓ અને એક પુરુષ દર્દીને આ પહેલરૂપ સર્જરીનો લાભ મળ્યો છે. ભલે અમે આંખનું ઓજસ પાછું આપી શકતા નથી પરંતુ આ સર્જરી(eyes surgery)થી દર્દીના ચહેરાને વિકૃત થતો બચાવી એની સુંદરતા અને આત્મ વિશ્વાસ અકબંધ રાખવામાં મદદરૂપ થવાનો એમને સંતોષ છે,તેમ ડો.સોની જણાવે છે.

આ પણ વાંચોઃ તૃણમૂલ કોંગ્રેસના આ સાંસદ અને અભિનેત્રી(Mimi chakraborty) નકલી રસીકરણનો ભોગ બની- વાંચો શું મામલો?