Gujarat Corona Update: રાજ્યમાં 534 વ્યક્તિ સાજા થયા, નવા 62 કેસ, એક પણ મોત નહી

Gujarat Corona Update: રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને 98.60 ટકાએ પહોંચ્યો

ગાંધીનગર, 08 જુલાઇઃ Gujarat Corona Update: છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસ વધી રહ્યાં હતા, જો કે હવે તેમાં ઘણા અંશે સુધારો જોવા મળી રહ્યો છે. તેમ છંતા તંત્રએ સાવચેતી રાખવાનું કહ્યું છે.

રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને 98.60 ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે 534 દર્દીઓ સાજા થયાનું નોંધાયું છે. અત્યાર સુધી 8,12,522લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો 1497 કુલ કેસ છે. જે પૈકી 09 લોકો વેન્ટીલેટર પર છે. 1488 લોકો સ્ટેબલ છે. 8,12,522 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10072 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Tokyo olympic: જાપાનના વડાપ્રધાન સુગાએ ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત- વાંચો વિગત