ગુજરાત વિધાનસભા ગૃહ(Gujarat vidhansabha)માં 20 વર્ષ બાદ અનોખો નજારોઃ સ્પીકર પેનલમાં કોંગ્રેસના આ ધારાસભ્યને મળ્યું સ્થાન- કોંગ્રેસના ધારાસભ્યોમાં ભારે ઉત્સાહમાં
ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાત વિધાનસભા ગૃહ(Gujarat vidhansabha)માં 20 વર્ષ બાદ અનોખો નજારો જોવા મળ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારા જોવા મળ્યા હતા. ગૃહમાં અધ્યક્ષ સહિત 5 સભ્યોની સ્પીકર પેનલ હોય છે. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહમાં વિપક્ષને આ તક મળતા તેઓ ભારે ઉત્સાહ અને ગેલમાં જોવા મળ્યા હતા.
આ સ્પીકર પેનલમાં અનિલ જોષિયારા સામેલ હોવાથી તેમને સ્પીકરની ખુરશી પર બેસવાની તક મળી હતા, કોંગ્રેસના સભ્યને અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક મળતા કોંગ્રેસના ધારાસભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આ પણ વાંચો…