Hardik Patel said a big thing about Congress leaders: કોંગ્રેસના નેતાઓ કોઇ પણ રીતે ટીવીમાં ચર્ચામાં રહેવા માંગે છે – હાર્દિક પટેલ
Hardik Patel said a big thing about Congress leaders: હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિર નિર્માણનો કોર્ટનો આવેલો નિર્ણય કે જે આવકાર્યો હતો
અમદાવાદ, 25 મેઃHardik Patel said a big thing about Congress leaders: રામ મંદિર મુદ્દે ભરતસિંહના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસ નેતાઓ રામ મંદિર મુદ્દે ગઈ કાલે જે નિવેદન કર્યું હતું તે બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કોઇપણ રીતે ટીવીમાં ચર્ચામાં રહેવા માંગે છે. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિર નિર્માણનો કોર્ટનો આવેલો નિર્ણય કે જે આવકાર્યો હતો મે અને મારા પરિવાર રામ મંદિર નિર્માણમાં સહયોગ આપ્યો છે.
ગુજરાત કોંગ્રેસએ મંદિર નિર્માણમાં એક પણ રૂપિયાનું ફાળો આપ્યો નથી તેમ હાર્દીક પટેલે કહ્યું હતું આ સાથે ભાજપ પ્રેમ પણ હાર્દિકે જતાવ્યો હતો. ત્યારે આજે સીઆર પાટીલે જવાબ આ મુદ્દે આપ્યો હતો અને સીઆર પાટીલે કહ્યું હતું કે, તાકાત હોય તો અન્ય ધર્મના લોકો વિશે બોલી જુઓ.
વડોદરા ખાતે આયોજિક એક કાર્યક્રમની અંદર ભરતસિંહના નિવેદનનો જવાબ સીઆર પાટીલે આપ્યો હતો. ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને તેમનું ચેકઅપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે તાકાત હોય તો અન્ય ધર્મના લોકો વિશે બોલીને બતાવે તેમ સીઆર પાટીલે વળતો જવાબ આપ્યો હતો. એક ભરતસિંહ ના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)