Ranjan ben

MP Ranjanben Bhatt: સાંસદ રંજનબેન ભટ્ટ દ્રારા વડોદરા સ્ટેશન પર કુલીઓને બક્કલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા

વડાપ્રધાનના “મન કી બાત” કાર્યક્રમનું જીવંત પ્રસારણ

વડોદરા, ૨૯ ઓગસ્ટ: MP Ranjanben Bhatt: પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર રેલવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને માનનીય સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર પેસેન્જર સહયક (કુલીઓ) ને બક્કલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

MP Ranjanben Bhatt

વડોદરા રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં(MP Ranjanben Bhatt) વડોદરા વિભાગના ડીઆરએમ અમીત ગુપ્તા, એડીઆરએમ એ.કે.સીંહ, વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને મુસાફરો હાજર હતા. આ પ્રસંગે,  વડાપ્રધાનની “મન કી બાત” ના લોકપ્રિય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

જેની સૌએ વ્યાપક પ્રશંસા કરી હતી. વડોદારા મંડળના વરિષ્ઠ અધિકારીઓ સાથે માનનીય સાંસદ દ્રારા ઔપચારીક બેઠક પણ યોજાઇ હતી. તેમણે પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી લીધી અને વહેલી તકે પૂર્ણ કરવાની સલાહ આપી. જેથી મુસાફરો તેનો સંપૂર્ણ લાભ મેળવી શકે.

Whatsapp Join Banner Guj