NDRF alert vadodara

NDRF team alert: ચોમાસું આફતો સમયે બચાવ કામગીરી માટે વડોદરા સ્થિત એન.ડી.આર.એફ. ની ૧૦ ટીમો આગોતરી તહેનાત કરવામાં આવી છે

NDRF team alert: ગુજરાતના આઠ જિલ્લાઓ અને રાજસ્થાનના બે જિલ્લાઓ માં આ સાધન સુસજ્જ ટીમો ખડે પગે રહેશે

  • એક ટીમમાં ૨૫ તાલીમબદ્ધ જવાનો રાખવામાં આવે છે

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૪ જુલાઈ:
NDRF team alert: રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે એન.ડી.આર.એફ.ની છઠ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો અને અકસ્માતો/ દુર્ઘટનાઓ પ્રસંગે જાન માલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે.આ દળ રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે.

આ પણ વાંચો…Divyang Player: ગુજરાત સરકારે દિવ્યાંગ રમતવીરો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગત

તાજેતરમાં તાઉ’તે વાવાઝોડાની આફત પ્રસંગે અહીં ની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રભાવક સેવાઓ આપી હતી.
વડોદરા ખાતેની (NDRF team alert) છઠ્ઠી બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે ,આગામી ચોમાસાને અનુલક્ષીને રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથે પરામર્શથી દળ દ્વારા ગુજરાત રાજ્યના આઠ જિલ્લાઓમાં અને રાજસ્થાનના બે જિલ્લાઓમાં કુલ ૧૦ ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે.

NDRF team alert, vadodara

આ પ્રત્યેક ટીમમાં ૨૫ તાલીમબદ્ધ અને બચાવ રાહત માં કુશળ જવાનો રાખવામાં આવ્યાં છે જે વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે. આઠ ટીમો રાજ્યના સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ,જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં આગોતરી મૂકી દેવામાં આવી છે.આફતો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલી વાળા વિસ્તારોમાં કામ કરશે.આ આગોતરી સાવચેતી હેઠળ કરવામાં આવેલું આયોજન છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ ટીમો આફત પ્રસંગે સંદેશા વ્યવહાર માટેના જરૂરી સાધનો અને ઉપકરણો,પ્રાથમિક સારવાર માટે જરૂરી તબીબી સાધન સામગ્રી, બોટ્સ,લાઇફ જેકેટ્સ,લાઇફ બોયા,કાટમાળ હટાવી બચાવ કરવા માટે કોંક્રિટ કટર્સ,સર્ચ માટેના સાધનો, ફ્લડ રેસક્યુ માટે ઈનફ્લેટેબલ બોટસ જેવી અદ્યતન સાધન સામગ્રી થી સજ્જ છે.

NDRF team alert vadodara

બે ટીમો વડોદરાથી રાજસ્થાન ના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બટાલિયન પાસે અનામત ટીમો ની વ્યવસ્થા રહે છે અને જરૂર પડ્યે ટીમના સદસ્યો નું વિભાજન કરીને નવી ટીમોની રચના જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. અમે લોકોને આફતમાં થી સહીસલામત ઉગારવા હંમેશા સતર્ક અને સુસજ્જ રહીએ છે એવું શ્રી અનુપમનું કહેવું છે.