Paresh Dhanani: પરેશ ધાનાણી રાજકોટમાં પરષોત્તમ રૂપાલા સામે લડશે ચૂટણી
Paresh Dhanani: અટકળોનો આવ્યો અંત; પાટીદાર સામે પાટીદારનો જંગ
અમદાવાદ, 09 એપ્રિલ: Paresh Dhanani: રાજકોટ બેઠક પરથી છેલ્લા ઘણા સમય થી ચાલી રહેલા પરેશ ધાનાણીના નામની ચર્ચાનો અંત આવ્યો છે. રાજકોટ બેઠક પર થી પરેશ ધાનાણી ચૂટણી લડવાની તૈયારી દર્શાવી છે. અંતે કાંગ્રેસ નેતાઓની માંગ પરેશ ધાનાણી સ્વીકારી લીધી છે.
આ પણ વાંચો:- 149th Organ donation: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૯મું અંગદાન
હવે રાજકોટ બેઠક વધારે મહત્વપૂર્ણ બની રહેશે. એક તરફ ભાજપના ઉમ્મીદવાર પરષોત્તમ રૂપાલા છે. જેની સામે અત્યારે ક્ષત્રિય સમાજ વાંધો ઉઠાવ્યો છે. જે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી રહી છે. અને હવે કડવા પાટીદાર v/s લેઉવા પાટીદારની ચૂટણીની જંગ જામશે.