Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 160 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી
Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 160 લાભાર્થીઓને રૂ.32 લાખની સહાય ચૂકવવામાં આવી: ગ્રામ ગૃહ અને ગ્રામવિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ
અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૦ ટકા ફાળા સહાય અંતર્ગત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૬૦ લાભાર્થીઓને રૂ.૩૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ ગ્રામ ગૃહ અને ગ્રામવિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું છે.
વિધાનસભા ગૃહમાં મંત્રીએ પ્રધાનમંત્રીના આવાસ યોજના અંતર્ગત ચૂકવવાની સહાય અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે, લાભાર્થી આવાસ યોજના છ માસમાં પૂર્ણ કરે તેને રુ.૨૦,૦૦૦ પ્રોત્સાહન આપવામાં આવે છે. તુમ સાહેબ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૨૦૭ લાભાર્થીઓને રૂપિયા ૧૦.૩૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.