Ravan dahan postponed: અંબાજી માં આજે દશેરા પર્વ ને લઈ રાવણદહન કાર્યક્રમ મુલત્વી રખાયો,મંદિર માં ધજા ચઢાવાઈ
Ravan dahan postponed: શક્તિપીઠ અંબાજી માં આજે દશેરા પર્વ ને લઈ રાવણદહન કાર્યક્રમ નહીં યોજાય………
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૫ ઓક્ટોબર: Ravan dahan postponed: ગતવર્ષે કોરોના મહામારી ને લઈ રાવણ દહન કાર્યક્રમ મુલતવી રખાયો હતો ત્યારે ચાલુ વર્ષે પણ દશેરા ઉત્સવ સમિતિ અંબાજી દ્વારા રાવણ દહન નો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે જેમ અધર્મ ઉપર ધર્મ નો વિજય માની દશેરો મનાવાય છે તેમ માં અંબે એ પણ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો તેને લઈ દશેરા ઉત્સવ સમિતિ તેમજ નવયુવક પ્રગતિ મંડળ દ્વારા રાવણ દહન ના બદલે માતાજી ના મંદિરે ધજા ચઢાવાનો આયોજન કર્યું હતું જે તમામ સભ્યો માતાજી ની ધજા સાથે નગરચર્યા કર્યા બાદ મંદિરે માતાજી ને ધજા ચઢાવી હતી.