Release of Dharmajivan Gatha in SGVP Gurukul: આવતીકાલે કેદ્રીય ગૃહ અમીતભાઇ શાહ SGVP ગુરુકુલમાં “ધર્મજીવન ગાથા” ગ્રન્થનો વિમોચન કરશે
Release of Dharmajivan Gatha in SGVP Gurukul: SGVP ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ધર્મજીવન ગાથા ગ્રન્થનો આવતીકાલે (તા.૨૦ માર્ચ) ઐતિહાસિક વિમોચન કાર્યક્રમ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે
- Release of Dharmajivan Gatha in SGVP Gurukul: મુખ્ય મહેમાન તરીકે કેદ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ
- વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
- દિલ્હી હાઇકોર્ટ ચીફ જસ્ટીસ ડી.એન,પટેલ હાજરી આપશે
અમદાવાદ, 19 માર્ચ: Release of Dharmajivan Gatha in SGVP Gurukul: ઉત્સવમાં ૫૦૦ ઉપરાંત ધર્માચાર્યો પધારવાના છે ત્યારે તેઓને બેસવા માટે સભામાં 3000 ફૂટનુ વિશાળ સ્ટેજ બનાવાયું છે. સાથે સાથે ૨૫,૦૦૦ થી વધારે હરિભકતો પધારવાના છે.
SGVP ગુરુકુલના વિશાળ મેદાનમાં ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજના જીવન જરમરને દર્શાવતા વિવિધ બેનરોનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રીજી મહારાજ પ્રણિત અનેકવિધ સામાજિક, ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓના ફોટાઓ તેમજ જળ સંચય, અનાવૃષ્ટિ- અતિવૃષ્ટિ રાહત કાર્યો, અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકાની વિદેશ યાત્રાઓ, યાત્રા પ્રવાસો, વિવિધ ધર્મોના ધર્માચાર્યો સાથેની મુલાકાત, વડતાલ અને અમદાવાદના આચાર્યઓના આશીર્વાદ, ડોંગરેજી મહારાજ, મુનિજી મહારાજ, રવિશંકર મહારાજ, મહામુક્તરાજ મામાજી તેમજ અન્ય ધર્માચાર્ય અને મહાનુભાવો સાથેના ફોટાઓનું પ્રદર્શન સભાસ્થાનની ચારેબાજુ જોઇ શકાશે.