pradipsinh jadeja

નકલી રેમડેસિવિર(remdesivir) ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ -કાળા બજાર કે સંગ્રહ કરનાર વિકૃત લોકો સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહરાજ્ય મંત્રી

ગાંધીનગર, 01 મેઃગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ  છે કોરોાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ  ટીમ ગુજરાત અસરકારક કામગીરી  કરી રહી છે. તેમ છતાંય કેટલાક વિકૃત લોકો મોતના સોદાગર બનીને માનવજીવન હણાય  એ માટે ચેડા કરીને રેમડિસીવર(remdesivir) ઇન્જેકશનનું નકલી વેચાણ  કરવાનો પ્રયાસ  કરી રહયા છે એમની સામે રાજય સરકાર કડક હાથે સખ્તાઇથી કામગીરી કરશે એટલે આવા કાળા બજારીયા અને સંગ્રહખોરી કરનારા તત્વો ચેતી જાય.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર મળી રહે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો થકી  નિર્ણાયક કામગીરી કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે કામગીરી કરી રહી છે. રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. તે ઉપરાંત નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ થઈ ગઈ છે. 

remdesivir

ગૃહમંત્રી જાડેજાએ કહયું કે કોરોનાની સારવારમાં દર્દીઓ માટે અંત્યંત જરૂરી એવા રેમડેસિવિર(remdesivir) ઈન્જેક્શનનો જથ્થો  માત્ર એપ્રિલ માસમાં જ છ લાખથી વધુ દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયો છે. વિવિધ ફાર્મા કંપનીઓ દ્રારા ઇન્જેકશનો જથ્થો GMSCL ને પુરો પાડવામાં આવે છે આ જથ્થાનું વિતરણ મહાનગરો અને તમામ જીલ્લાઓમાં નિયમિત રીતે કરવામાં આવે છે. સંબધિત મ્યુનિસિપલ કમિશ્નરોને જીલ્લા કલેકટરના સીધા મોનિટરીંગ હેઠળ જથ્થાનું વિતરણ સૌ પ્રથમ સરકારી હોસ્પિટલોને તેમની જરૂરિયાત મુજબ વિતરણ કરવમાં આવે છે. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલોને પડતર ભાવે જરૂરિયાત મુજબ સ્થાનિક કક્ષાએથી વિતરણ કરવામાં આવી રહયું છે. 

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં રેમડેસીવીર(remdesivir) જેવી કોરોના માટેની મહત્વની દવાના કાળા બજાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહયું છે આ માટે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશો કરાયા છે જેથી આ દવાના કાળાબજાર અથવા ગેરકાયદેસરની સંગ્રહાખોરી અટકાવી શકાય, પરંતુ કેટલાક વિકૃત લોકો દ્રારા નકલી રેમડેસીવીર દવાના ઇન્જેકશન બનાવીને માનવવધ જેવા કૃત્યો કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે.  આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજય સરકાર  દ્વારા આ સંદર્ભે ૨૩ ગુનાઓ નોંધીને ૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

મંત્રીએ કહયું કે, તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં નકલી રેમડેસીવીર(remdesivir) ઇન્જેક્શન વેચવા અંગેનો પ્રયાસ કરાયો છે જેમાં આરોપીઓ દ્વારા સીલબંધ ઇન્જેક્શનની શીશી લઇને તેના ઉપર રેમડેસીવીરના નકલી સ્ટીકર લગાડીને બનાવટી બોક્ષમાં પેક કરીને તેને સાચા રેમડેસીવીર તરીકે વેચવામાં આવતાં હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ-૮ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી છેતરપીંડીથી કોઇ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. જેથી આ બનાવની ગંભીરતા ધ્યાને લેતાં ગુનામાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની (આઇ.પી.સી કલમ-૩૦૮) કલમો સહિત છેતરપીંડી અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો લગાડવામાં આવી  છે. 

remdesivir

આશિષ ભાટીયાએ ઉમેર્યું કે, આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશીફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી. ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કી.રૂ. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા આ ઇન્જકશ(remdesivir)નો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત એ.સી.પી. આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનબનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે રેઇડની કાર્યાવહી ચાલુ છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ગોત્રી હોસ્પિટલનું ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ(covid treatment) સેન્ટર કોવિડ ની તાત્કાલિક સારવાર અને સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે: ડો.વિનોદ રાવ