શ્રી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગર માં સંત સંમેલન યોજાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૩ ડિસેમ્બર: વર્ષો ની તપસ્યા બાદ ભારતીય સંસ્કૃતિ ના આદર્શરૂપ ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જન તન મન અને ધન થી યથાશક્તિ યોગદાન આપી આ ભવ્ય કાર્ય માં જોડાય એવી અપીલ અને પ્રેરણા માટે જામનગર જિલ્લા ના વિવિધ સંપ્રદાય ના સંતો એક મંચ પર આવી ને આ કાર્ય નું મહત્વ અને સમર્પણ ભાવ સાથે રામ કાર્ય કરવા માટે લોકો ને સંદેશ આપેલ છે કે આ કાર્ય માં સૌ જનતા જોડાય.

whatsapp banner 1

આ શુભ ઘડીએ પ્રણામી સંપ્રદાય ના સંત શ્રી કૃષ્ણ મણી મહારાજ, આણદાબવા આશ્રમ શ્રી દેવ પ્રસાદજી મહારાજ, વૈષ્ણવ સંપ્રદાય મોટી હવેલી વલ્લભ રાયજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ચત્રભુજ દાસ જી મહારાજ તથા જામનગર શહેર અને જિલ્લા માથી સમાજ નિર્માણ અને ધર્મ કાર્ય માં મહત્વની ભૂમિકા ધરાવતા વિવિધ સંપ્રદાય ના સંતો તથા કબીર આશ્રમ, જૈન સમાજ અને ગાયત્રી પરિવાર ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

આ સંત સંમેલન નું આયોજન આ સમિતિ ના અધ્યક્ષ ભરત ભાઈ ફલીયા તથા ઉપાધ્યક્ષ ધીરુભાઈ સાવલિયા ની આગેવાની હેઠળ થયેલ અને વૃજલાલ ભાઈ પાઠક જી એ આ સંમેલન ના પ્રખુખ તરીકે કાર્ય સંભાળી સંકલન કરેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *