Son murders father: પુત્રએ પોતાના જ પિતાને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને કર્યા હત્યા
Son murders father: સાબરકાંઠાના વડાલી ગામની ઘટના કુહાડી ઝીંકી દિકરાએ બાપને પતાવી દીધા
પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ, 07 માર્ચ: Son murders father: સાબરકાંઠાના વડાલીમાં એક પુત્રએ પોતાના જ પિતાને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કર્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અસ્થિર મગજનો હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી ને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હાથ ધરી હતી.
વિગત મુજબ, વડાલીના ગાયત્રીનગરમાં રહેતા નાનજીભાઈ વાલજીભાઈ પટેલ (70) રવિવારે બપોરે ઘેર હાજર હતા. દરમિયના તેમનો પુત્ર પ્રભુદાસ આવી પહોંચ્યો હતો. અને અચાનક કુહાડી તૂટી પડ્યો હતો. નાનજીભાઈને માથું, જડબું અને ગરદન પર હુમલો કરતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પિતાને મોતને ઘાટ ઉતારી પુત્ર પ્રભુદાસ ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે ઝડપી લીધો હતો.
વડાલીના ગાયત્રીનગરમાં રહેતા એક 70 વર્ષીય નાનજીભાઈ પટેલ પર રવિવાર બપોરે તેમના પુત્ર પ્રભુદાસભાઈએ તેમના ઉપર અચાનક કુહાડી લઈ હુમલો કરતાં નાનજીભાઈના ગરદન હુમલો કરતાં તેઓનું મોત નીપજ્યું હતું. જો કે, આ ઘટના બાદ હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી કુહાડી લઈને ઘરમાંથી ફરાર થઇ ગયો હતો.
પોલીસની તપાસ મુજબ, નાનજીભાઈના ઘરમાં લાંબા સમયથી કંકાસ ચાલી રહ્યો હતો. આ પહેલા પણ હત્યારા પુત્રે તેના પિતાને ત્રણ ચાર દિવસ અગાઉ લાકડીઓ પણ મારી હતી અને રવિવારે પણ કંકાસ ચાલતો હતો એ દરમિયાન પુત્રએ કુહાડી લઈને ઝીંકી દીધી હતી. પ્રાથમિક તપાસમાં પુત્ર અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે આરોપી પુત્ર પ્રભુદાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.