Swaminarayan mandir: કોરોનાકાળમાં જામનગર સ્વામિનારાયણ મંદિરનું સેવાકીય કાર્ય
Swaminarayan mandir: જામનગર ના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેર ની વિવિધ હોસ્પિટલ માં ઓકસીજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાં આવ્યા
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૧ મે: Swaminarayan mandir: જામનગર ના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી જામનગર માં આદર્શ હોસ્પિટલ તેમજ શ્રી કેશવજી અરજન લેઉવા પટેલ સમાજ કોવિડ સેન્ટર માં ઓકસીજન કોન્સન્ટ્રેટર ના મશીનો કોરોના દર્દીઓની સારવાર માટે અર્પણ કરવાં આવ્યા હતા
આ સેવા કાર્યમાં બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સંત પૂજ્ય ધર્મનિધિદાસ સ્વામી તેમજ પૂજ્ય સંતો ના શુભહસ્તે પૂજન કરાયેલા આ ઓકસીજન કોન્સટ્રેટર આ વિવિધ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર માં જઈને ટ્રસ્ટીઓ અને મુખ્ય ડોકટરસઓની ઉપસ્થિતિ માં બી.એ.પી.એસ. ના સ્વયંસેવકો દ્વારા અર્પણ કરવાં આવ્યા હતા