WHO

Vaccines effective against omicron: વધતા એમિક્રોનના કેસ વચ્ચે WHOના વૈજ્ઞાનિકે કહ્યું- ઓમિક્રોન સામે વેક્સિન અસરકારક- વાંચો વિગત

Vaccines effective against omicron: WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કે, રસીની અસરકારકતા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. એક તો રસી છે અને બીજુ ઉંમર જેવા જૈવિક પરિબળો છે

નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃVaccines effective against omicron: દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે જેના પર WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કે, રસીની અસરકારકતા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. એક તો રસી છે અને બીજુ ઉંમર જેવા જૈવિક પરિબળો છે.

ઝડપથી વધી રહી છે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા

સ્વામીનાથને આ વાત પર ભાર મુકતા જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કારણ કે, આ સંક્રમણ રસી લીધી હોય તેમને પણ અને રસી ના લીધી હોય તેમને પણ એમ બંને લોકોમાં થઈ રહ્યું છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, રસી હજુ પણ અસરકારક સાબિત થઈ રહી છે કારણ કે, ઘણા દેશોમાં સંખ્યા ઝડપથી વધી રહી હોવા છતાં, રોગની ગંભીરતા નવા સ્તરે નથી પહોંચી.

વેક્સિન સંરક્ષણાત્મક સાબિત થઈ રહી છે

આ સાથે જ, સ્વામિનાથને રાહતનો શ્વાસ લીધો હતો કે મોટાભાગના લોકો હળવી સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, વેક્સિન સુરક્ષાત્મક સાબિત થઈ રહી છે. ક્રિટિકલ કેરની જરૂરિયાત નથી વધી રહી. આ એક સારો સંકેત છે.

આ પણ વાંચોઃ Kalicharan maharaj arrested: આખરે કાલીચરણ મહારાજની થઇ ધરપકડ, મહાત્મા ગાંધી માટે કરી હતી વિવાદિત ટિપ્પણી- વાંચો શું છે મામલો?

સ્વામીનાથને બુધવારે એક ટ્વિટમાં જણાવ્યું કે, આશા પ્રમાણે ટી સેલ ઈમ્યુનિટિ ઓમિક્રોન સામે વધુ સારી હોય છે. તે આપણને ગંભીર બીમારીથી બચાવે છે તેથી જો તમે વેક્સિન ના લીધી હોય તો કૃપા કરીને ઝડપથી લઈ લેવી.

વેક્સિન મૃત્યુથી બચાવશે

સ્વામીનાથને બુધવારે WHO પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, વેક્સિનની અસરકારકતા બે રસીની વચ્ચે થોડી અલગ હોય છે. જોકે, WHOના ઈમરજન્સી ઉપયોગ લિસ્ટની મોટાભાગની રસીઓમાં વાસ્તવમાં ઉચ્ચ સુરક્ષા દર હોય છે અને આ રસી ઓછામાં ઓછા ડેલ્ટા વેરિઅન્ટ જેવી ગંભીર બીમારીમાં મૃત્યુથી બચાવે છે.

અગાઉ પણ વેક્સિનેસનને ઝડપી બનાવવાની વાત કરવામાં આવી

કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ડો. સૌમ્યા સ્વામીનાથન સમગ્ર વિશ્વમાં કોવિડ-19 રસીકરણના વિસ્તરણ અને મજબૂતીકરણની હાકલ કરી ચુક્યા છે.  ડો. સૌમ્યા સ્વામીનાથનને જણાવ્યું કે, વેક્સિનેસનને વધુ ઝડપી બનાવવાની જરૂર છે જેથી એ નિશ્ચિત થઈ શકે કે, વંચિત લોકોને પણ આ મહામારીથી સુરક્ષા પ્રદાન થઈ શકે.

તેમણે આગળ જણાવ્યું કે, કોરોના મહામારીના શરૂઆતના સમયમાં જ તેનો ઈલાજ શોધવાનું કામ શરૂ કરી દીધું હતું. ચીન અને ઈટાલી તથા કેટલાક દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું જ્યાં પ્રથમ લહેરમાં મૃત્યુદર ઘણો વધારે હતો. અમે થોડા અઠવાડિયામાં 30 દેશોમાં ટ્રાયલ શરૂ કર્યા હતા. ભારત પણ આ ટ્રાયલ્સનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હતો અને તેનું આમાં મહત્વનું યોગદાન રહ્યું છે.

Whatsapp Join Banner Guj