૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવ્યો
- કોરોનાના ઇલાજ માટે રાજકોટ જિલ્લાને મળ્યો ૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો
- રાજયસરકારની ભલામણનો ફાર્માસ્યુટીકલ કંપનીઓએ આપેલો હકારાત્મક પ્રતિસાદ
- માંગણી મુજબ ખાનગી કોવિડ હોસ્પિટલને ઇન્જેક્શન પુરા પડાશે
રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર: કોરોનાની સારવાર માટે ખૂબ જ જરૂરી એવો ૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવ્યો છે.
રાજકોટમાં વધતા જતા કોરોના સંક્રમણને ખાળવા માટે રાજકોટ જિલ્લામાં પૂરતી માત્રામાં રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. રાજયસરકારના પ્રયત્નોથી ૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શન્સની જિલ્લા માટે ફાળવણી કરવામાં આવી છે. રાજયસરકારની રાજયની ફાર્માસ્યુટીકલ કંપનીઓને રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજકોટ જિલ્લાને પુરો પાડવાની ભલામણનો હકારાત્મક પ્રતિસાદ આપીને ૭૦૦ નંગ રેમ્ડેસીવીર ઇન્જેક્શન્સ રાજકોટ જિલ્લાને તાકીદે ફાળવવામાં આવ્યા છે.
loading…
રાજકોટની જે કોઇ પણ ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકેની સેવાઓ આપે છે તે તમામને તેમની માંગણી મુજબ આ જથ્થો પુરો પાડવામાં આવશે તેમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.