અનુરાગ કશ્યપ મામલામાં પાયલ ઘોષે કરી મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત, જાણો સમગ્ર વિગત
અહેવાલ: હેમાલી ભટ્ટ
૨૯ સપ્ટેમ્બર: ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યોન શોષણનો આરોપ મૂકનારી અભિનેત્રી પાયલ ઘોષે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. પાયલે અનુરાગ કશ્યપ સામે આકરા પગલા લેવા માંગ કરી.કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે પણ આ દરમિયાન હાજર રહ્યા. સાથે જ પાયલ એ કહ્યું કે તેના જીવને ખતરો છે માટે તેને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે. મહત્વનું છે કે આ મામલો સાત વર્ષ પહેલાનો છે. તાજેતરમાં પાયલ એ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પણ તેને અનુરાગ કશ્યપની ધરપકડ કરવામાં કરી હતી. આ સમગ્ર મામલામાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પણ પોતાનો બચાવ કરી ચુક્યા છે. તેમણે પાયલના તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.
loading…