World Tribal Day: આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકા મથકે જાગૃતિબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી
World Tribal Day: વિશ્વ આદિવાસી દિવસ ને લઈ દાંતા તાલુકા ના આદિવાસી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 11 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૯ ઓગસ્ટ: World Tribal Day: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથ થી સૌ ના વિકાસના હેઠળ છેલ્લા 9 દિવસ થી રાજ્યભર માં વિકાસ નો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જે આજે 9 મી ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે પૂર્ણ કરવામાં આવ્યો છે.
આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકા મથકે પણ રાજ્ય બાળ અધિકાર સરક્ષણ અયોગ ના ચેરમેન જાગૃતિબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે (World Tribal Day) આદિવાસી દિવસ ને લઈ આદિવાસી લોકો માં પણ ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો અને ઢોલ ના તાલે નાજગાન કરતા જોવા મળ્યા હતા જયારે આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ દાંતા તાલુકા ના આદિવાસી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 11 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા
જયારે સરકાર ની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો સહીતના ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા ને સ્વ રોજગારી માટે સિલાઈ મશીન જેવા સાધનો અને ફળાઉ રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વનવિભાગ ના સહયોગ થી ઉપસ્થતિ મહાનુભાવો ના હસ્તે આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જોકે આજે વિવિધ યોજના ના લાભાર્થીઓ માં પણ ખુશી જોવા મળી હતી.