Lata Mangeshkar wish PM: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરજી નો તેમણે પાઠવેલી જન્માષ્ટમીની શુભકામનાઓ બદલ આભાર માન્યો
નવી દિલ્હી, ૩૦ ઓગસ્ટ: Lata Mangeshkar wish PM: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના અવસરે શુભકામનાઓ પાઠવવા બદલ લતા મંગેશકરજીનો આભાર માન્યો હતો. દંતકથારૂપ ગાયિકાએ પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે ટ્વીટર પર પ્રધાનમંત્રીને શુભેચ્છા આપવાની સાથે તેમના ગુજરાતી ભજનમાંનું એક ભજન એટેચ કર્યુ હતું.
જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુઃ
Lata Mangeshkar wish PM: “આશીર્વચન માટે ખૂબ ખૂબ આભાર @mangeshkarlata દીદી. આપને પણ જન્માષ્ટમીની થોકબંધ શુભેચ્છાઓ. આપના સૂરોથી સજેલું આ ભજન મંત્રમુગ્ધ કરી દેનારૂં છે.”