Donation of gold: અંબાજી મંદિર ખાતે 350 ગ્રામ સોનાનું દાન દાતા એ કર્યું
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૬ નવેમ્બર: Donation of gold: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલી છે હાલમાં દેવ દિવાળીનો પર્વ સંપન્ન રીતે પૂર્ણ થતાં ભક્તો મા અંબાના દર્શન કરવા હાલમાં પણ આવી રહ્યા છે આજે અંબાજી મંદિર ખાતે મુંબઈના માઈભક્તો દ્વારા 350 ગ્રામ સોનાનો દાન કરવામાં આવ્યું હતું.
મુંબઈના માઇ ભક્ત દ્વારા 350 ગ્રામ સોનું દાન (Donation of gold) આપ્યું હતું. દાતા એ પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી. અંબાજી મંદિર ખાતે વિવિધ ભક્ત સોના નું દાન કરી રહ્યા છે. આજે પણ 16.50 લાખ ના બિસ્કિટ દાન કરેલ જેમા 100 ગ્રામ ના 3 અને 50 ગ્રામ ના 1 બિસ્કિટ નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…Ambaji RTPCR test: અંબાજીમાં કોરોનાના RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી