Dharm naat jaat: ધર્મ, નાત-જાતના વાડા કોણે પાડ્યા?, હું તો માણસાઈ ધર્મમાં …..
ભાષા સમજમાં નથી આવતી મને,
પણ ભાવને , હું જીવી જાઉં છું.
છું હું , મારી માટીથી ઘડાયેલો,
પણ , તારી માટીમાં ભળી જાઉં છું.
માણસ છું હું , મોજીલા મનનો,
ભાવપૂર્ણ ,ભરોસો છોડી જાઉં છું.
હોય દેશ તારો કે મારો શું ફર્ક છે?
યુગે યુગે ,અવતાર બદલતો જાઉં છું.
ધર્મ , નાત-જાતના વાડા કોણે પાડ્યા?,
હું તો માણસાઈ ધર્મમાં , જીવી જાઉં છું
આ પણ વાંચો:–Akrosh: આક્રોશ સ્વાસ્થ્ય અને સંબંધ માટે કેટલો યોગ્ય?