Aamir khan Meet Suhani Family : દંગલ ગર્લ સુહાની ભટનાગરના પરિવારને મળવા પહોંચ્યા આમિર ખાન, વાંચો વિગત
Aamir khan Meet Suhani Family : આમિરે સુહાનીની બીમારી વિશે પૂછ્યું અને પરિવારને આ દુઃખદ સમયમાંથી બહાર નીકળવા માટે હિંમત આપી હતી.
બોલિવુડ ડેસ્ક, 23 ફેબ્રુઆરીઃ Aamir khan Meet Suhani Family : દંગલ ફિલ્મના એક્ટર આમિર ખાને અભિનેત્રી સુહાની ભટનાગરના નિધનના થોડા દિવસો બાદ ગુરુવારે સાંજે ફરીદાબાદમાં તેના પરિવારને મળીને શોક વ્યક્ત કર્યો હતો. સહાનુભૂતિ વ્યક્ત કરતાં આમિરે સુહાનીની બીમારી વિશે પૂછ્યું અને પરિવારને આ દુઃખદ સમયમાંથી બહાર નીકળવા માટે હિંમત આપી હતી.
We are deeply saddened to hear about our Suhani passing away.
— Aamir Khan Productions (@AKPPL_Official) February 17, 2024
Our heartfelt condolences to her mother Poojaji, and the entire family 🙏🏽
Such a talented young girl, such a team player, Dangal would have been incomplete without Suhani.
Suhani, you will always remain a star in…
સુહાનીના નિધન પછી, આમિર ખાનના પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડીને દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, “અમારી સુહાનીના નિધન વિશે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. તેની માતા પૂજા જી અને સમગ્ર પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વક સંવેદના. એક પ્રતિભાશાળી યુવતી સુહાની વગર દંગલ અધુરુ હોત. “સુહાની, તું હંમેશા અમારા દિલમાં સ્ટાર બનીને રહીશ. તને શાંતિ મળે.”
આ પણ વાંચોઃ Farmers Protest Updates : એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને કૃષિ આંદોલન વચ્ચે એક વધુ ખેડૂતનું મોત
પરિવારજનોએ જણાવ્યું કે, સુહાની ડર્માટોમાયોસાઇટિસ નામની બીમારીથી પીડિત હતી. આ બીમારીને કારણે સુહાનીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા તેનું એક્સિડન્ટ થયું હતું અને તે સતત દવાઓ લઈ રહી હતી. જેમાંથી કેટલીક દવાઓ કદાચ રિએક્ટ કરી ગઈ અને તેના શરીરમાં પાણી ભરાઈ ગયું. જેને લઈને તેની સારવાર ચાલી રહી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેના કારણે જ તેને બચાવી શકાઇ ન હતી.