Akshay kumar made big statement: ફિલ્મ બચ્ચન પાંડેની નિષ્ફળતા બાદ કહ્યું- ધ કશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મને ડુબાળી- જુઓ વીડિયો
Akshay kumar made big statement: અક્ષય કુમારે આ ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે, પરંતુ શબ્દોમાં કહીએ તો તેણે વિવેક અગ્નિહોત્રીને પણ કહ્યું કે તેની ફિલ્મેની કમાણી પર મોટી અસર કરી છે
બોલિવુડ ડેસ્ક, 26 માર્ચઃ Akshay kumar made big statement: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ ફિલ્મને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ઘણા લોકો એવા છે જેઓ ફિલ્મના વખાણમાં કરી રહ્યા છે. પરંતુ હવે આ ફિલ્મને લગતા સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે આ ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે, પરંતુ શબ્દોમાં કહીએ તો તેણે વિવેક અગ્નિહોત્રીને પણ કહ્યું કે તેની ફિલ્મેની કમાણી પર મોટી અસર કરી છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે તેના બે અઠવાડિયા પૂરા કર્યા છે અને તેની કમાણીનો આંકડો જોઈએ તો તે 207 કરોડની ઉપર પહોંચી ગઈ છે, જ્યારે અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ની હાલત સારી દેખાઈ રહી નથી. જેના વિશે અક્ષય પોતે પણ કબુલ કરી રહ્યો છે.
તાજેતરના એક કાર્યક્રમમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા, નિર્દેશક ઉપરાંત ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો પણ સ્ટેજ પર હાજર હતા અને આ દરમિયાન અક્ષય કુમારે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. પોડિયમની સામે માઈક પર બોલતા, અક્ષય કુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ વિશે કહ્યું કે, ‘જુઓ, આપણી પાસે દેશની વાર્તાઓ છે, કેટલીક જાણીતી છે, કેટલીક સાંભળી નથી.
જેમ વિવેકજીએ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવીને આપણા દેશનું એક ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે. આ ફિલ્મ એક એવી લહેર તરીકે આવી જેણે આપણને બધાને સ્તબ્ધ કરી દીધા. બીજુ વાત એ પણ છે કે મારી ફિલ્મ પણ ડુબી ગઈ.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના દર્દ અને વેદનાને દર્શાવતી ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ ફિલ્મ બતાવી હતી. આ સાથે તેમણે શુક્રવારે કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં ‘નરસંહાર મ્યુઝિયમ’ સ્થાપવા માટે જમીન આપશે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.