aamir khan kiran rao

Amir khan: આમિર અને કિરણના છૂટાછેડા પર કોણે કહ્યું… “આમીરજી હું કુંવારી છું”…..

Amir khan: આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા મુદ્દે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે.

મનોરંજન ડેસ્ક: ૦૫ જુલાઈ: Amir khan: બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે શનિવારે સવારે તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરતા આ વાતની જાણકારી આપી છે. આ કપલના આ નિર્ણયથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. ત્યારે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા મુદ્દે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો…Mithali raj: મિતાલી રાજએ રચ્યો ઈતિહાસ, મહિલા ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવતી ખેલાડી બની..! વાંચો વિગત

Rakhi sawant
pic credit: Rakhi sawant/ Instagram

પહેલા તો રાખી સાવંતને વિશ્વાસ જ થયો નહીં અને પછી તેણે આ બાબતે પોતાના આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતે કહ્યું કે જ્યારે કોઈ અલગ થાય છે ત્યારે તેને દુ:ખ થાય છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આમિર ખાન (Amir khan) અને કિરણ રાવે પોતાના રસ્તા અલગ અલગ કરી લીધા છે.

રાખી સાવંતે એક વિડીયોમાં ફની અંદાજમાં કહ્યું કે ‘મારા લગ્ન થઈ રહ્યા નથી અને લોકો છૂટાછેડા લઈ રહ્યા છે. (Amir khan) આમિરજી હું હજુ કુંવારી છું, તમે મારા વિશે શું વિચારો છો.’

Whatsapp Join Banner Guj