Suicide: માણાવદરના સોની વેપારીએ પોતાની દુકાનમાં આપઘાત કર્યો, વાંચો સંપૂર્ણ વિગત
Suicide: મૃતક જીતેન્દ્રભાઈ લોઢીયાના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે જેમાં પોતાના દીકરાને સંબોધીને લખી છે
અહેવાલઃ અનિલ વનરાજ
માણાવદર, 05 જુલાઇઃ Suicide: માણાવદરમાં સોની વેપારી આજ બપોરના અરસામાં પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ માણાવદર બસ સ્ટેન્ડ રોડ શાકમાર્કેટ પાસે આવે મોહિત જવેલર્સના માલિક સોની જીતેન્દ્રભાઈ રૂગનાથભાઈ લોઢીયા(ઉ.વ.50) પોતાની દુકાનમાં બપોરના પાંચેક વાગ્યાના અરસામાં દોરી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોતે કયા કારણોસર ગળાફાંસો ખાધો કારણ હજુ અકબંધ છે.
ત્યારે મૃતક જીતેન્દ્રભાઈ લોઢીયાના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે જેમાં પોતાના દીકરાને સંબોધીને લખી છે. ત્યારે પોલીસે સ્યુસાઇડ કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ shamlaji temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીને સાડા છ કિલોગ્રામ વજનના ચાંદીના વાસણો ભેટ