Ananya scolded by NCB

Ananya scolded by NCB: અનન્યા મોડી પડતા વાનખેડેએ ઝાટકતા કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી, અધિકારી તમારી રાહ જોઈને નહિ બેશે

Ananya scolded by NCB: મુંબઈ એનસીબીએ એક્ટ્રેસ અનન્યા પાંડેને બીજી વખત પૂછપરછ માટે 11 વાગ્યે હાજર થવા કહ્યું હતું પરંતુ અનન્યા 11 વાગ્યાની જગ્યાએ 2 વાગ્યા પછી એનસીબીની ઓફિસ પહોંચી હતી.

બોલિવુડ ડેસ્ક, 23 ઓક્ટોબરઃAnanya scolded by NCB: મુંબઈ ક્રુઝ ડ્રગ કેસમાં NCBની તપાસનો વિસ્તાર વધી રહ્યો છે. બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન જેલમાં છે અને હવે ડ્રગ મામલે એક્ટ્રેસ અનન્યા પાંડે NCBની રડારમાં છે. શુક્રવારે અનન્યા પાંડે સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેઓ NCBની ઓફિસ સમયની જગ્યાએ ત્રણ કલાક લેટ પહોંચી હતું. એમનું લેટ પહોંચવું એનસીબીને જરાય પણ ન ગમ્યું, જેના પર અનન્યાને ફટકાર પડી.

એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે એ અનન્યાને લેટ આવવા પર ફટકાર(Ananya scolded by NCB) લગાવી. એમણે કહ્યું કે, ‘તમને 11 વાગ્યે બોલાવવામાં આવી હતી અને તમે હવે આવી રહ્યા છો. અધિકારી તમારી રાહ જોઈને નહિ બેશે. આ કોઈ તમારું પ્રોડક્શન હાઉસ નથી, આ સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે, જેટલા વાગ્યે બોલાવવામાં આવે એટલા વાગ્યે પહોંચી જાઓ.

મુંબઈ એનસીબીએ એક્ટ્રેસ અનન્યા પાંડેને બીજી વખત પૂછપરછ માટે 11 વાગ્યે હાજર થવા કહ્યું હતું પરંતુ અનન્યા 11 વાગ્યાની જગ્યાએ 2 વાગ્યા પછી એનસીબીની ઓફિસ પહોંચી હતી.

આ પણ વાંચોઃ Power crisis: વીજ અછતની અફવાઓ કે તંગીની અટકળોથી ન ભરમાવા અનુરોધ, DGVCL એમ. ડી. અરવિંદ વિજયને કહ્યું- દ.ગુમાં વીજળીની અછત નથી

અનન્યા પાંડે સાથે એનસીબીએ શુક્રવારે 4 કલાક પૂછપરછ કરી. ગુરુવારના દિવસે પણ અનન્યાની 2 કલાક પુછપરછ કરવામાં આવી હતી. હવે અનન્યા પાંડેને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી છે. બંને દિવસે અનન્યા સાથે એમના પિતા ચંકી પાંડે પહોંચ્યા હતા. રિપોર્ટ્સની માનીએ તો જે રીતે અનન્યા સાથે ડ્રગ્સ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે એ હિસાબે આર્યનની મુશ્કેલી વધી શકે છે

અનન્યા પાંડે સાથે સંબંધિત ત્રણ ચેટ સૌથી મહત્વની છે. 2018 અને 2019 ની વચ્ચે, આ ચેટ્સ ગાંજા વિશે થઈ હતી. અનન્યાના બંને ફોન NCB દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેણી પર પ્રશ્નોનો વરસાદ થયો, ત્યારે અનન્યા એકદમ મૂંઝવણમાં દેખાતી હતી. તેને બરાબર યાદ નથી તેમ કહીને ઘણા પ્રશ્નો ટાળ્યા હતા.

એક ચેટમાં આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે ગાંજા વિશે વાત થઈ છે. આર્યન પૂછતો હતો કે શું કોઈ જુગાડ હોઈ શકે? અનન્યાએ જવાબ આપ્યો – હું અરેન્જ કરી દઈશ. એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી અને સવાલ પૂછ્યો, જેના જવાબમાં અનન્યાએ કહ્યું કે હું મજાક કરી રહી છું

Whatsapp Join Banner Guj