kejrawal anupam kher

Anupam kher angry over kejriwal’s statement: કાશ્મીર ફાઈલ્સને જુઠ્ઠાણુ ગણાવતા કેજરીવાલના નિવેદન પર ભડકયા અનુપમ ખેર

Anupam kher angry over kejriwal’s statement: અનુપમે કેજરીવાલનુ નામ લીધા વગર કહ્યુ છે કે, હવે તો ધ કાશ્મીર ફાઈલ્સને સિનેમા હોલમાં જ જઈને બધાએ જોવી જોઈએ

મનોરંજન ડેસ્ક, 25 માર્ચઃ Anupam kher angry over kejriwal’s statement: કાશ્મીરી પંડિતો પર 32 વર્ષ પહેલા થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની ઝાટકણી કાઢી રહ્યા છે.

કેજરીવાલે ગઈકાલે વિધાનસભામાં આ ફિલ્મને જુઠ્ઠાણુ ગણાવી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, જો ફિલ્મ નિર્માતા એવુ કહેતા હોય કે આ ફિલ્મને વધારે લોકો જોઈ શકે તે માટે દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરેખર તો ધ કાશ્મીર ફાઈલ્સને યુ ટ્યુબ પર મુકી દેવી જોઈએ. જેથી બધા મફતમાં જોઈ શકે.

કેજરીવાલના નિવેદન પર કાશ્મીર ફાઈલ્સના એકટર અનુપમ ખેર પણ ભડકયા છે. અનુપમે કેજરીવાલનુ નામ લીધા વગર કહ્યુ છે કે, હવે તો ધ કાશ્મીર ફાઈલ્સને સિનેમા હોલમાં જ જઈને બધાએ જોવી જોઈએ.

તમે બધાએ 32 વર્ષ પછી જાણ્યુ છે કે, કાશ્મીરી પંડિતોને કેવુ દુખ પડ્યુ હતુ અને તેમના પર કેવા અત્યાચાર થયા હતા. કેટલાક લોકો પંડિતોની ટ્રેજેડીની પણ મજાક ઉડાવી રહ્યા છે તો મહેરબાની કરીને તમે તેમને તમારી તાકાત બતાવી દો. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલિઝ થયા બાદ ભારતમાં 200 કરોડની કમાણી કરી ચુકી છે.

આ પણ વાંચોઃ Gathiya will be expensive now: ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો ગાંઠીયા હવે થશે મોંઘા- વાંચો કારણ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.