Arundhati Nair

Arundhati Nair: સાઉથની આ અભિનેત્રી જીવન મોત સામે ઝઝૂમી રહી છે, પરિવારે સારવાર માટે માંગી પૈસાની મદદ

Arundhati Nair: પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ અરંધતિ નાયરનો 6 દિવસ પહેલા કાર અકસ્માત થયો હતો

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 20 માર્ચઃ Arundhati Nair: સાઉથની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ અરંધતિ નાયરનો 6 દિવસ પહેલા કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટ્રેસ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. હવે એવી ખબર આવી રહી છે કે સર્જરી માટે અરૂંધતિને આર્થિક મદદની જરૂર છે. આ વિશે એક્ટ્રેસની મિત્ર અને અભિનેત્રી રામ્યા જોસફે જાણકારી આપી છે. 

રામ્યાએ જણાવ્યું કે અરૂંધતિ 14 માર્ચે મોડી રાત્રે તિરૂવનંતપુરમમાં પોતાના ભાઈની સાથે એક બાઈક પર ઘરે પરત ફરી રહી હતી. ત્યારે જ રસ્તામાં એક ઓટોએ તેમને ટક્કર મારી હતી. એક્ટ્રેસને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી. એક્ટ્રેસના ભાઈને સામાન્ય ઈજા પહોંચી છે પરંતુ એક્ટ્રેસ હજુ પણ હોસ્પિટલમાં છે અને તેમની સર્જરી માટે પૈસાની જરૂર છે. 

આ પણ વાંચોઃ Anil Ambani will Be Debt Free: દેવામાં ડુબેલા અનિલ અંબાણીના સારા દિવસો શરૂ, રિલાયન્સ પાવરે 3 બેંકોનું દેવુ ચૂકવી દીધુ

અરૂંધતિ નાયરની મિત્ર ગોપિકા અનિલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફંડ રેઝ કેમ્પેન ચલાવ્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેંકની ડિટેલ્સ પણ શેર કરી છે જેમાં લોકો પાસે પૈસા જમા કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Startup Mahakumbh 2024: PM મોદીએ ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ના સંબોધનમાં કહ્યું- ત્રીજા કાર્યકાળમાં ભારતને દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનાવશે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો