કોરોનાથી અભિનેતા Bikramjeet Kanwarpal નું થયું નિધન, અભિનયનું સપનું સેનામાંથી નિયુક્તિ બાદ પૂર્ણ કર્યું- નાના અને મોટા પરદે નિભાવી યાદગાર ભૂમિકા
બોલિવુડ ડેસ્ક, 01 મેઃ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અભિનેતા બ્રિક્રમજીત કંવરપાલ(Bikramjeet Kanwarpal)નું શનિવારે નિધન થયું. 52 વર્ષના બિક્રમજીત સેનામાંથી રિટાયર થયા હતા અને વર્ષ 2003માં મનોરંજન જગતમાં સક્રિય થયા હતા. તેમણે અનેક સુપરહિટ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.
તાજેતરમાં જ બિક્રમજીત ડિઝની પ્લસ હોટસ્ટારમાં વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સમાં કામ કરતા જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશના રહીશ બિક્રમજી(Bikramjeet Kanwarpal)તે અનેક દિગ્ગજ સિતારાઓ સાથે કામ કર્યું હતું. તેમના નિધન બાદ શોકની લહેર છે. ટીવી શોની વાત કરીએ તો બિક્રમજીતે 24, સિયાસત, દિલ હી તો હૈ, દિયા ઔર બાતી હમ તથા નમક હરામ જેવા શોમાં કામ કર્યું હતું.
મોટા પડદાની વાત કરીએ તો મર્ડર 2, ડેન્જરસ ઈશ્ક, હે બેબી, શૌર્ય, આરક્ષણ, જંજીર, હાઈજેક, રોકેટ સિંહ, જબ તક હૈ જાન, અને ધ ગાઝી એટેક જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનયની દુનિયામાં કામ કરવું એ બિક્રમજીતનું સપનું હતું. આથી સેનામાં નોકરી કર્યા બાદ તેઓ સીધા ફિલ્મ અને ટીવી જગતમાં આવી ગયા.
આ પણ વાંચો…