Bollywood will be bankrupt by next year: આ અભિનેત્રીએ આપ્યો શ્રાપ, કહ્યું- બોલીવૂડ ફિલ્મોને ફાઈનાન્સ મળતું બંધ થઈ જશે
Bollywood will be bankrupt by next year: તનુશ્રી દત્તાએ આગાહી કરી છે કે આગામી વર્ષના અંત સુધીમાં બોલીવૂડમાં નાણાંના સ્ત્રોત સુકાઈ જશે અને ઇન્ડસ્ટ્ીનાં મોટાં મોટાં નામો કહેવાય તેવા લોકો દેવાળિયા થઈ જશે
મુંબઇ, 08 ઓગષ્ટ: Bollywood will be bankrupt by next year: આમિર ખાનની આવનારી ફિલ્મને લઇ બોલિવુડની ફિલ્મોનો બોયકોટ થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં મોટા બજેટની આવેલી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ થઇ છે. તેવામાં બોલિવુડમાં મી ટૂ મૂવમેન્ટની શરુઆત કરનારી મહિલાઓમાંની એક તનુશ્રી દત્તાએ આગાહી કરી છે કે આગામી વર્ષના અંત સુધીમાં બોલીવૂડમાં નાણાંના સ્ત્રોત સુકાઈ જશે અને ઇન્ડસ્ટ્ીનાં મોટાં મોટાં નામો કહેવાય તેવા લોકો દેવાળિયા થઈ જશે.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ભવિષ્યવાણી કરી છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં મોટાભાગના ફાઈનાન્સિઅર્સ હિન્દી ફિલ્મો માટે ફંડ આપવાનું જ બંધ થઈ જશે. તેની સાથે સાથે ટોચના પ્રોડકશન હાઉસ અને કલાકારો ૨૦૨૩ સુધીમાં દિવાળિયા થઇ જશે. લોકોને જેમના વિશે જાણીને નવાઈ લાગે એવાં મોટાં નામો દેવાળું ફૂંકશે.
તનુશ્રીના જણાવ્યા અનુસાર ઓટીટી પર પણ હિંદી ફિલ્મોની વ્યૂઅરશિપ ઘટશે. લોકો દુનિયાભરની કન્ટેન્ટ જોશે. સાઉથની ફિલ્મો વધુ પોપ્યુલર થશે. બોલીવૂડ માટે લોકોની નફરતનું પરિણામ એ આવશે કે સાઉથના સિતારાઓ પણ બોલીવૂડ છોડી દેશે. લોકો બોલીવૂડ અને તેના કલાકારોની વિરુદ્ધ થઈ જશે. આ સમય ચોક્કસ આવશે.
મારી વાત યાદ રાખજો.
તનુશ્રીની ફિલ્મ કારકિર્દી ખાસ આગળ વધી નથી. પરંતુ, તેણે નાના પાટેકર સામે જાતીય શોષણ તથા ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રી સામે સતામણીના આક્ષેપો કરી ખળભળાટ મચાવ્યો હતો. તનુશ્રીએ આ અંગે જાહેર નિવેદનો કર્યા બાદ બીજી પણ યુવતીઓ આગળ આવી હતી અને તેમણે પોતપોતાને થયેલા ખરાબ અનુભવોની વાત શેર કરી હતી.
આ પણ વાંચોઃ 3 killed many injured at khatu shyamji temple: ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગના કારણે 3 લોકોના મોત