Boycott MalabarGold: કરીના કપૂરના ફોટા સાથે આ જ્વેલરીની કંપની થઇ રહી છે ટ્રેન્ડિંગ? વાંચો શું છે મામલો?
Boycott MalabarGold: કરીના કપૂર હિન્દુ પ્રમાણે તૈયાર નહોતી થઇ અને ચાંદલા વગર તે જાહેરાતમાં જોવા મળી
મનોરંજન, 22 એપ્રિલઃ Boycott MalabarGold: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર #Boycott_MalabarGold ટ્રેન્ડિંગ થઇ રહ્યું છે. આ એડમાં ટ્વીટરમાં બદી જ જગ્યાઓથી જ્વેલરી બ્રાન્ડને લઇને પ્રતિક્રિયાઓ આવી રહી છે. હિન્દુ તહેવાર પર અક્ષય તૃતિયાને લઇને એક નવી એડ બહાર આવી હતી, જે લોકોને બિલકુલ પસંદ આવી નથી, આ સિવાય લોકો આ એડને અપમાનજનક ગણાવી રહ્યાં છે.
વાત એમ છે કે, માલાબાર ગોલ્ડ જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં અભિનેત્રી કરીના કપૂર ખાન છે, આ જાહેરાત કરીના કપૂર ખાને હિન્દુ તહેવાર અક્ષય તૃતિયા માટે કરી હતી. પરંતૂ કરીના કપૂર હિન્દુ પ્રમાણે તૈયાર નહોતી થઇ અને ચાંદલા વગર તે જાહેરાતમાં જોવા મળી રહી છે. જેને યુઝર્સ હિંદુત્વનું અપમાન ગણાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Food oil will become more expensive: ગૃહિણીઓ માટે માઠા સમાચાર, ફરી વધી શકે છે ખાદ્ય તેલના ભાવ
ઉલ્લેખનીય છે કે યુઝર્સે કરીના કપૂરના લગ્ન તથા માલાબાર ગોલ્ડના માલિકને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. કરીનાએ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. જ્યારે કંપનીના માલિક મુસ્લિમ છે.